એશિઝ સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર

એશિઝ સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર

આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. બેન સ્ટોક્સની કેપ્ટનશીપ હેઠળ, ઇંગ્લેન્ડ 21 નવેમ્બરથી 8 જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પાંચ ટેસ્ટ મેચ રમશે.

ઓલી પોપ પાસેથી વાઇસ-કેપ્ટન પદ છીનવી લેવામાં આવ્યું છે. યુવા બેટર હેરી બ્રુકને તેના સ્થાને નિયુક્ત કર્યો છે. જુલાઈ-ઓગસ્ટમાં ભારત સામેની સિરીઝ દરમિયાન પોપે વાઇસ-કેપ્ટન તરીકે સેવા આપી હતી. જોકે, પોપ 16 સભ્યોની ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે અને T20 સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે, જે ન્યૂઝીલેન્ડમાં યોજાનારી છે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા, ટીમ 18 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ત્રણ વન-ડે અને ત્રણ T20 મેચ રમવા માટે ન્યૂઝીલેન્ડ જશે.

ટીમમાં ઝડપી બોલરોનો સમાવેશ ઇંગ્લેન્ડની ટીમમાં છ ફાસ્ટ બોલરોનો સમાવેશ થાય છે. જોફ્રા આર્ચર સંપૂર્ણપણે ફિટ છે અને ઇંગ્લેન્ડના પેસ આક્રમણનું નેતૃત્વ કરશે. ટીમમાં બ્રાયડન કાર્સ, ગસ એટકિન્સન, મેથ્યુ પોટ્સ, જોશ ટંગ, માર્ક વુડ અને કેપ્ટન સ્ટોક્સ પણ અન્ય ફાસ્ટ બોલરો સાથે છે. ક્રિસ વોક્સ ફિટનેસના અભાવે બહાર થઈ ગયો છે. શોએબ બશીર અને વિલ જેક્સમાં બે સ્પેશિયાલિસ્ટ સ્પિનરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Read more

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુ

By Gujaratnow
રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લાં 29 વર્ષથી રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ

By Gujaratnow
ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન

ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન

નવરાત્રિ પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃ

By Gujaratnow
મધ્યપ્રદેશના ખંડવામાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડતાં 11નાં મોત

મધ્યપ્રદેશના ખંડવામાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડતાં 11નાં મોત

મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી ગઈ. આ અકસ્માતમાં આઠ છોકરીઓ સહિત 11 લોકોનાં મોત થયા. લગભગ 30થી

By Gujaratnow