ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન

ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન

નવરાત્રિ પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં રાવણ દહનની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે સુરતમાં ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 54 ફૂટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સાથે મેઘનાથ અને કુંભકર્ણના 45-45 ફૂટના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. ઉતરપ્રદેશના ખાસ કારીગરો દ્વારા ઇમારતી લાકડું ગણાતા વાંસની મદદથી પૂતળા બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વડોદરામાં રાવણ દહનમાં વરસાદ વિઘ્ન બનતા આજે કાર્યક્રમમાં મોકૂફ રાખી આવતીકાલે રાખવામાં આવ્યો છે.

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આતાશબાજી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. પ્રદર્શન મેદાનમાં મેઘનાદ અને કુંભકર્ણના 30-30 ફૂટ ઊંચા અને રાવણનું 35 ફૂટ ઊંચું પુતળું બનાવવામાં આવ્યું હતું. નાનકપુરી ખાતેથી વિવિધ પાત્રો સાથે આબેહૂબ વેશભૂષામાં રામસવારી નીકળી હતી. આ રામસવારી શહેરના મુખ્યમાર્ગો જેવા કે પવનચક્કી, હવાઈ ચોક, બર્ધનચોક, સજુબા શાળા, બેડી ગેટ, લીમડા લાઈન અને જિલ્લા પંચાયત થઈને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી.

Read more

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુ

By Gujaratnow
રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લાં 29 વર્ષથી રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ

By Gujaratnow
મધ્યપ્રદેશના ખંડવામાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડતાં 11નાં મોત

મધ્યપ્રદેશના ખંડવામાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડતાં 11નાં મોત

મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી ગઈ. આ અકસ્માતમાં આઠ છોકરીઓ સહિત 11 લોકોનાં મોત થયા. લગભગ 30થી

By Gujaratnow
મસ્ક ₹44 લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ બિઝનેસમેન

મસ્ક ₹44 લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ બિઝનેસમેન

ટેસ્લાના માલિક ઈલોન મસ્ક 500 બિલિયન ડોલરના આંકડે પહોંચનારા વિશ્વના પ્રથમ બિઝનેસમેન બન્યા છે. ફોર્બ્સની રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ

By Gujaratnow