ઝાયડસ-પિંકાથોને ભારતમાં સ્તન કેન્સર અંગે જાગૃતતા ફેલાવવા હાથ મિલાવ્યા

ઝાયડસ-પિંકાથોને ભારતમાં સ્તન કેન્સર અંગે જાગૃતતા ફેલાવવા હાથ મિલાવ્યા

હેલ્થકેર કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ અને ભારતની સૌથી મોટી વુમન્સ રન પિંકાથોને સ્તન કેન્સર અને મહિલાઓના આરોગ્ય અંગે જાગૃતતા ફેલાવવા માટે તેમના દેશવ્યાપી સહયોગની આજે જાહેરાત કરી હતી. આ પહેલ એ ઝાયડસના "Easiest Exam" કેમ્પેઇનનો ભાગ છે જે તેની બીજી એડિશનનું આયોજન કરી રહી છે. આ કેમ્પેઇન એ વાત પર ભાર મૂકે છે કે દર મહિને એક સરળ 3 મિનિટની જાતે સ્તનની તપાસથી વહેલા નિદાન થકી જીવન બચાવવામાં મદદ મળી શકે છે. આ પ્રયાસના ભાગરૂપે ઝાયડસ પિંકાથોન 2025-26માં છ મુખ્ય શહેરોનો પ્રવાસ કરશે જેમાં દેશભરની 30,000થી વધુ મહિલાઓને સાંકળી લેવામાં આવશે. આ સફર એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સ, બીકેસી ખાતે 21મી ડિસેમ્બર, 2025ના રોજ મુંબઈ પિંકાથોનની 10મી એડિશન સાથે શરૂ થશે જેના પછી બેંગાલુરુ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નઈમાં તેનું આયોજન થશે.

આ સત્તાવાર કાર્યક્રમનું ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલ, ઝાયડસ ફાઉન્ડેશનના વાઇસ-ચેરપર્સન મેહા પટેલ, અભિનેતા, જાણીતા ફિટનેસ આઇકોન તથા પિંકાથોનના સ્થાપક મિલિંદ સોમણ તથા ઇન્વિન્સિબલ વિમેનના સ્થાપક અંકિતા કોનવારે ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને પોતાના આરોગ્યને પ્રાથમિકતા આપવા માટે મહિલાઓને પ્રોત્સાહન આપવાના તેમના મિશનની રૂપરેખા આપી હતી. તેમણે ખાસ નિયમિત જાતે સ્તનની તપાસના મહત્વ તથા સ્તન કેન્સરમાં વહેલા નિદાન વિશે જાગૃતતા વધારવામાં ઝાયડસ પિંકાથોનની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

ઝાયડસ લાઇફસાયન્સિસના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે "Easiest Exam" કેમ્પેઇન સાથે અમે મહિલાઓને એ માહિતી સાથે સશક્ત કરવા માંગીએ છીએ કે દર મહિને સરળ એવી 3 મિનિટની જાતે તપાસ કરવાથી જીવન બચાવી શકાય તેટલો ફરક પડી શકે છે. પિંકાથોન સાથે જોડાઈને અમારો ઉદ્દેશ્ય વધુને વધુ મહિલાઓ સુધી પહોંચવાનો, જાગૃતતા ફેલાવવાનો અને સ્તન કેન્સર સામેની લડાઈમાં સહયોગાત્મક કામગીરીને પ્રેરિત કરવાનો છે. અમે માનીએ છીએ કે મહિલાઓના આરોગ્ય તથા સ્તન કેન્સર અંગે જાગૃતતા ફેલાવવી એટલી જ મહત્વની છે કારણ કે વહેલા નિદાનમાં અનેક જિંદગીઓ બચાવવાની શક્તિ રહેલી છે.

Read more

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુ

By Gujaratnow
રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લાં 29 વર્ષથી રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ

By Gujaratnow
ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન

ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન

નવરાત્રિ પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃ

By Gujaratnow
મધ્યપ્રદેશના ખંડવામાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડતાં 11નાં મોત

મધ્યપ્રદેશના ખંડવામાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડતાં 11નાં મોત

મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી ગઈ. આ અકસ્માતમાં આઠ છોકરીઓ સહિત 11 લોકોનાં મોત થયા. લગભગ 30થી

By Gujaratnow